-
પાકિસ્તાનના સૈનિકો દ્વારા જમ્મુ-કાશ્મિરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રામગઢ સેક્ટરમાં નરેન્દરકુમાર નામના જવાનને ઉઠાવી જઇને તેને કઇ રીતે તડપાવી તડપાવીને મારી નાંખ્યો તેની કાળજુ કંપાવી દે એવી યાતનાઓની વિગતો બહાર આવી છે તે મુજબ તેનો મૃતદેહ કલાકો પછી મળ્યો ત્યારે તેના ગળા પર નિશાન હતા. ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. તેનો એક ખભો અને પગ કાપી નાંખવામાં આવ્યો. તેની એક આંખ ફોડી નાંખવામાં આવી. તેને વધુ તડપાવવા વીજ કરંટ આપવામાં આવ્યો અને પછી 3 ગોળીઓ ધરબીને મારી નાંખીને તેની લાશ ફેંકીને ભાગી ગયા હતા. સૌથી વધુ ખરાબ તો એ થયું કે મંગળવારે મૃતદેહ મળ્યા બાદ તાકીદે તેને હોસ્પિટલ લઇ જવાયો નહોતો. બુધવારે બીએસએફના સત્તાવાળાઓએ કોઇના બીકના માર્યા ગુપચુપ રીતે તેનું પીએમ કરાવ્યું...! મિડિયાની સામે આ અંગે કોઇ બોલવા તૈયાર નહોતા.
-
પાકિસ્તાનના સૈનિકો દ્વારા જમ્મુ-કાશ્મિરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રામગઢ સેક્ટરમાં નરેન્દરકુમાર નામના જવાનને ઉઠાવી જઇને તેને કઇ રીતે તડપાવી તડપાવીને મારી નાંખ્યો તેની કાળજુ કંપાવી દે એવી યાતનાઓની વિગતો બહાર આવી છે તે મુજબ તેનો મૃતદેહ કલાકો પછી મળ્યો ત્યારે તેના ગળા પર નિશાન હતા. ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. તેનો એક ખભો અને પગ કાપી નાંખવામાં આવ્યો. તેની એક આંખ ફોડી નાંખવામાં આવી. તેને વધુ તડપાવવા વીજ કરંટ આપવામાં આવ્યો અને પછી 3 ગોળીઓ ધરબીને મારી નાંખીને તેની લાશ ફેંકીને ભાગી ગયા હતા. સૌથી વધુ ખરાબ તો એ થયું કે મંગળવારે મૃતદેહ મળ્યા બાદ તાકીદે તેને હોસ્પિટલ લઇ જવાયો નહોતો. બુધવારે બીએસએફના સત્તાવાળાઓએ કોઇના બીકના માર્યા ગુપચુપ રીતે તેનું પીએમ કરાવ્યું...! મિડિયાની સામે આ અંગે કોઇ બોલવા તૈયાર નહોતા.