-
એક તરફ આજે 24 જૂને ભાજપની ચિંતન શિબિર શરૂ થઇ છે ત્યારે એ જ દિવસે ભાજપને આગામી સમયમાં ફરી મુશ્કેલીમાં મૂકી શકે તેવી પાટીદાર અનામત આંદોલન ચલાવનારાઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં મા ઉમિયાધામ-ઉંઝાથી કાગવડ સુધીની શહીદ યાત્રા શરૂ થઇ છે. જે 35 દિવસ અને 4 હજાર કિ.મી.નો પ્રવાસ કરીનેસૌરાષ્ટ્રમાં કાગવડ ખોડલધામ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં અનામત આંદોલનમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 14 પાટીદારોની પ્રતિમાઓ મૂકીને ફરીથી અનામતની માંગ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના ઇશારે પાટીદારોમાં ભાજપની વિરૂધ્ધ વાતાવરણ બનાવવા માટે આ શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તેની સુરક્ષા માટે પોલીસનો કાફલો પૂરો પાડવામાં આવ્યો છે.
-
એક તરફ આજે 24 જૂને ભાજપની ચિંતન શિબિર શરૂ થઇ છે ત્યારે એ જ દિવસે ભાજપને આગામી સમયમાં ફરી મુશ્કેલીમાં મૂકી શકે તેવી પાટીદાર અનામત આંદોલન ચલાવનારાઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં મા ઉમિયાધામ-ઉંઝાથી કાગવડ સુધીની શહીદ યાત્રા શરૂ થઇ છે. જે 35 દિવસ અને 4 હજાર કિ.મી.નો પ્રવાસ કરીનેસૌરાષ્ટ્રમાં કાગવડ ખોડલધામ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં અનામત આંદોલનમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 14 પાટીદારોની પ્રતિમાઓ મૂકીને ફરીથી અનામતની માંગ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના ઇશારે પાટીદારોમાં ભાજપની વિરૂધ્ધ વાતાવરણ બનાવવા માટે આ શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તેની સુરક્ષા માટે પોલીસનો કાફલો પૂરો પાડવામાં આવ્યો છે.