-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ.બંગાળના મિદનાપુર ખાતે ચૂંટણીલક્ષી એક કિસાન કલ્યાણ રેલીને સંબોધી રહ્યાં હતા તે દરમ્યાન તેમની સભામાં બાંધવામાં આવેલા શામિયાણાનો એક ભાગ તેમના ભાષણ દરમ્યાન જ તૂટી પડતા મોદીએ તરત જ પોતાનું ભાષણ અટકાવીને પોતાની નજીક ઉભેલા સિક્યુરીટી એસપીજીના જવાનોને બચાવ કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. આ ઘટનામાં 25 લોકો ઘાયલ થયા હતા અને એ તમામને જ્યાં સારવાર માટે લઇ જવાયા તે જિલ્લા હોસ્પિટલ ખાતે જઇને મોદીએ ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. સૂત્રોએ કહ્યું કે મિદનાપુરમાં વરસાદ થઇ રહ્યો હોવાથી જમીન ભીની થઇ જતાં વજનથી પંડાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ.બંગાળના મિદનાપુર ખાતે ચૂંટણીલક્ષી એક કિસાન કલ્યાણ રેલીને સંબોધી રહ્યાં હતા તે દરમ્યાન તેમની સભામાં બાંધવામાં આવેલા શામિયાણાનો એક ભાગ તેમના ભાષણ દરમ્યાન જ તૂટી પડતા મોદીએ તરત જ પોતાનું ભાષણ અટકાવીને પોતાની નજીક ઉભેલા સિક્યુરીટી એસપીજીના જવાનોને બચાવ કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. આ ઘટનામાં 25 લોકો ઘાયલ થયા હતા અને એ તમામને જ્યાં સારવાર માટે લઇ જવાયા તે જિલ્લા હોસ્પિટલ ખાતે જઇને મોદીએ ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. સૂત્રોએ કહ્યું કે મિદનાપુરમાં વરસાદ થઇ રહ્યો હોવાથી જમીન ભીની થઇ જતાં વજનથી પંડાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.