દેશના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જીએસટી સૌ કોઈ ઈચ્છતા હતા, પરંતુ તેને લાગુ કરવાની હિંમત કોઈ નહોતું કરી રહ્યું. જોકે, તેમની સરકારે આ હિંમત કરી. નાના વેપારીઓ અને ઉદ્યોગકારોના સાથથી દેશમાં જીએસટીનો અમલ થયો. પીએમે પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.