-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારની મુલાકાત વખતે બરૌનીમાં જનસભાને સંબોધતા પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા 40 જવાનોની શહાદતને લઇને લોકોના દિલોમાં પ્રતિશોધની આગનો ઉલ્લેખ કરીને પોતાના મનની વાત કહેતા કહ્યું કે આ આતંકી ઘટનાને લઇને દેશમાં લોકોના દિલમાં કેટલી અગનજવાળાઓ ભડકી રહી છે તેનાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે અને ભરોસો રાખજો કે એવી જ પ્રતિશોધ બદલાની આગ અગનજવાળા તેમના દિલમાં પણ છે. મારી સરકારે તેનો બદલો લેવા માટે આપણી સેનાને છૂટોદોર આપીને કહી દીધુ છે કે આવી નાપાક અને મોટી હરકત કરનારને બરાબરની સજા આપો. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલામાં શહિદ થયેલા જવાનોને તેઓ નમન કરી રહ્યાં છે. તેમણે આ હુમલામાં શહિદ થયેલી પટણાના જવાન સંજયકુમાર સિંહા અને ભાગલપુરના રતનકુમાર ઠાકૂરને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. બિહાર મુલાકાત દરમ્યાન વડાપ્રધાને કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યા હતાં. (ફાઇલ ફોટો)
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારની મુલાકાત વખતે બરૌનીમાં જનસભાને સંબોધતા પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા 40 જવાનોની શહાદતને લઇને લોકોના દિલોમાં પ્રતિશોધની આગનો ઉલ્લેખ કરીને પોતાના મનની વાત કહેતા કહ્યું કે આ આતંકી ઘટનાને લઇને દેશમાં લોકોના દિલમાં કેટલી અગનજવાળાઓ ભડકી રહી છે તેનાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે અને ભરોસો રાખજો કે એવી જ પ્રતિશોધ બદલાની આગ અગનજવાળા તેમના દિલમાં પણ છે. મારી સરકારે તેનો બદલો લેવા માટે આપણી સેનાને છૂટોદોર આપીને કહી દીધુ છે કે આવી નાપાક અને મોટી હરકત કરનારને બરાબરની સજા આપો. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલામાં શહિદ થયેલા જવાનોને તેઓ નમન કરી રહ્યાં છે. તેમણે આ હુમલામાં શહિદ થયેલી પટણાના જવાન સંજયકુમાર સિંહા અને ભાગલપુરના રતનકુમાર ઠાકૂરને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. બિહાર મુલાકાત દરમ્યાન વડાપ્રધાને કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યા હતાં. (ફાઇલ ફોટો)