-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના કાર્યકાળના લોકસભાના છેલ્લાં સત્રમાં આજે છેલું ભાષણ આપીને પોતાની સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી. પોતાની સરકારમાં 203 વિધેયકો પસાર થયા તેનો ઉલ્લેખ કરીને કહ્યું અમારી સરકારે જ આધાર કાર્ડ સિસ્ટમને મજબૂતી આપી છે. તેમણે સાથી સાંસદોને મિચ્છામિ દુક્કડમ કહીને કોઇ ભૂલચૂક થઇ હોય તો ક્ષમાયાચના ઇચ્છી હતી. ગલે મિલના ઓર ગલે પડનાનો અર્થ સમજાવીને તેમમએ રાહુલ ગાંધી તેમને ભેટ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. અને ગલે પડના કિસે કહતે હૈ એ પણ હું આ સદનમાં શિખ્યો છું. રાહુલ અને કોંગ્રેસ દ્વારા સદનમાં કાગળના વિમાન ઉડાડ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને રાહુલે કહેલા શબ્દો યાદ કરીને વ્યંગ કર્યો કે આ સદનમાં ભૂકંપ આવી જશે એમ કોઇએ કહ્યું હતું. પરંતુ પાંચ વર્ષમાં એવો કોઇ ભૂકંપ ના આવ્યો પણ કાગળના વિમાનો આ સદનમાં ઉડ્યા છે. તેમણે પાંચ વર્ષ સદનમાં તેમને જે કોઇએ સલાહ સુચનો આપ્યા હોય તે તમામનો આભાર માન્યો હતો. સપાના સિનિયર નેતા મુલાયમસિંગે તેમને ફરીથી વડાપ્રધાન બનવાના આશિર્વાદ આપ્યા તે બદલ તેમણે મુલાયમસિંગનો બેત્રણ વખત આભાર માન્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના કાર્યકાળના લોકસભાના છેલ્લાં સત્રમાં આજે છેલું ભાષણ આપીને પોતાની સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી. પોતાની સરકારમાં 203 વિધેયકો પસાર થયા તેનો ઉલ્લેખ કરીને કહ્યું અમારી સરકારે જ આધાર કાર્ડ સિસ્ટમને મજબૂતી આપી છે. તેમણે સાથી સાંસદોને મિચ્છામિ દુક્કડમ કહીને કોઇ ભૂલચૂક થઇ હોય તો ક્ષમાયાચના ઇચ્છી હતી. ગલે મિલના ઓર ગલે પડનાનો અર્થ સમજાવીને તેમમએ રાહુલ ગાંધી તેમને ભેટ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. અને ગલે પડના કિસે કહતે હૈ એ પણ હું આ સદનમાં શિખ્યો છું. રાહુલ અને કોંગ્રેસ દ્વારા સદનમાં કાગળના વિમાન ઉડાડ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને રાહુલે કહેલા શબ્દો યાદ કરીને વ્યંગ કર્યો કે આ સદનમાં ભૂકંપ આવી જશે એમ કોઇએ કહ્યું હતું. પરંતુ પાંચ વર્ષમાં એવો કોઇ ભૂકંપ ના આવ્યો પણ કાગળના વિમાનો આ સદનમાં ઉડ્યા છે. તેમણે પાંચ વર્ષ સદનમાં તેમને જે કોઇએ સલાહ સુચનો આપ્યા હોય તે તમામનો આભાર માન્યો હતો. સપાના સિનિયર નેતા મુલાયમસિંગે તેમને ફરીથી વડાપ્રધાન બનવાના આશિર્વાદ આપ્યા તે બદલ તેમણે મુલાયમસિંગનો બેત્રણ વખત આભાર માન્યો હતો.