વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ ૧૫મી ઓગસ્ટ ઉપરાંત લાલ કિલ્લા પર ત્રિરંગો ફેલાવનારા દેશના પહેલા વડા પ્રધાન બન્યા છે. ૨૧મી ઓક્ટોબર રવિવારના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારના ૭૫મા સ્થાપના દિવસે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ૧૫મી ઓગસ્ટના રોજ જ વડા પ્રપધાન દ્વારા લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવામાં આવે છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ સંબોધન કરતાં લલકાર કર્યો હતો કે, અમે કોઈની જમીન પર નજર રાખતા નથી પરંતુ જો ભારતની સ્વાયત્તતાને પડકારવામાં આવશે તો તેનો બમણી તાકાતથી જવાબ અપાશે. સરકાર સશસ્ત્રદળોને અત્યાધુનિક શસ્ત્રો અને ટેક્નોલોજી આપવા કામ કરી રહી છે. સરકાર સૈનિકોને સારી સુવિધાઓ આપીને તેમની કામગીરી સરળ બનાવવા પ્રયાસરત છે. સરકારે એલોસી પર સર્જિક્લ સ્ટ્રાઇકના હિંમતભર્યા નિર્ણયો લીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ ૧૫મી ઓગસ્ટ ઉપરાંત લાલ કિલ્લા પર ત્રિરંગો ફેલાવનારા દેશના પહેલા વડા પ્રધાન બન્યા છે. ૨૧મી ઓક્ટોબર રવિવારના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારના ૭૫મા સ્થાપના દિવસે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ૧૫મી ઓગસ્ટના રોજ જ વડા પ્રપધાન દ્વારા લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવામાં આવે છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ સંબોધન કરતાં લલકાર કર્યો હતો કે, અમે કોઈની જમીન પર નજર રાખતા નથી પરંતુ જો ભારતની સ્વાયત્તતાને પડકારવામાં આવશે તો તેનો બમણી તાકાતથી જવાબ અપાશે. સરકાર સશસ્ત્રદળોને અત્યાધુનિક શસ્ત્રો અને ટેક્નોલોજી આપવા કામ કરી રહી છે. સરકાર સૈનિકોને સારી સુવિધાઓ આપીને તેમની કામગીરી સરળ બનાવવા પ્રયાસરત છે. સરકારે એલોસી પર સર્જિક્લ સ્ટ્રાઇકના હિંમતભર્યા નિર્ણયો લીધા છે.