પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યુરો (એનએબી)એ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. એનએબીએ શરીફ અને તેઓના સહયોગીઓ સામે ભારતમાં 328 અબજ રૂપિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે. એનએબીના નિવેદન અનુસાર, ભારતના નાણા મંત્રાલયને આ રકમ મોકલાવવામાં આવી હતી. ત્યારબાદ ભારતની ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં અચાનક તેજી આવી અને પાકિસ્તાનની વિદેશી મુદ્રામાં એટલી જ ઝડપથી ઘટાડો જોવા મળ્યો.