કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપ કર્યો છે. કર્ણાટકમાં ભાજપ સરકાર પડી ભાંગ્યા પછી પત્રકાર પરિષદમાં તેમણે દાવો કર્યો કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને કરોડોની ઓફર સંદર્ભે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.