દેશભરમાં રેપ, એસિડ એટેક પીડિતાઓને એક સમાન વળતર ચૂકવવા માટે નેશનલ લીગલ ઓથોરિટીએ નીતિ તૈયાર કરી છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ વળતર ચૂકવવા માટેની આ જાહેરાત કરાઈ છે. આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ગુજરાતમાં સગીર વયની બાળકીઓની સતામણી-દુષ્કર્મનાં વર્ષ 2014થી 2016નાં અરસામાં કુલ 3,630 કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે આ જ અરસામાં એસિડ એટેકનાં કુલ 14 ગુના નોંધાયા હોવાની હકીકત સામે આવી છે.
દેશભરમાં રેપ, એસિડ એટેક પીડિતાઓને એક સમાન વળતર ચૂકવવા માટે નેશનલ લીગલ ઓથોરિટીએ નીતિ તૈયાર કરી છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ વળતર ચૂકવવા માટેની આ જાહેરાત કરાઈ છે. આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ગુજરાતમાં સગીર વયની બાળકીઓની સતામણી-દુષ્કર્મનાં વર્ષ 2014થી 2016નાં અરસામાં કુલ 3,630 કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે આ જ અરસામાં એસિડ એટેકનાં કુલ 14 ગુના નોંધાયા હોવાની હકીકત સામે આવી છે.