સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપતા ચુકાદાનો વિરોધ કરતાં ગુરૂવારે કેરળમાં જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. સબરીમાલા મંદિરનાં પ્રવેશદ્વાર મનાતા નિલાક્કલ અને પામ્પામાં મંગળવારથી મહિલા શ્રદ્ધાળુઓના પ્રવેશ સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોને કારણે મંદિરનાં કપાટ ખુલ્યાના ૨૪ કલાક પછી પણ એકેય મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. ગુરૂવારે પણ નિલાક્કલ, પામ્પા સહિત કેરળના વિવિધ વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો જારી રહ્યાં હતાં. હિંદુ સંગઠનો દ્વારા અપાયેલો બંધ હિંસક બનતાં ઓછામાં ઓછા ૧૩ પોલીસ અને ૨૦૦ દેખાવકારોને ઈજા પહોંચી હતી.
સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપતા ચુકાદાનો વિરોધ કરતાં ગુરૂવારે કેરળમાં જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. સબરીમાલા મંદિરનાં પ્રવેશદ્વાર મનાતા નિલાક્કલ અને પામ્પામાં મંગળવારથી મહિલા શ્રદ્ધાળુઓના પ્રવેશ સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોને કારણે મંદિરનાં કપાટ ખુલ્યાના ૨૪ કલાક પછી પણ એકેય મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. ગુરૂવારે પણ નિલાક્કલ, પામ્પા સહિત કેરળના વિવિધ વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો જારી રહ્યાં હતાં. હિંદુ સંગઠનો દ્વારા અપાયેલો બંધ હિંસક બનતાં ઓછામાં ઓછા ૧૩ પોલીસ અને ૨૦૦ દેખાવકારોને ઈજા પહોંચી હતી.