-
સુપ્રિમ કોર્ટના જજ જસ્ટીસ સંજ્ય કિશન કૌલ દ્વારા સીજે જસ્ટીસ રંજન ગોગોઇને પત્ર લખીને દિલ્હી હાઇ કોર્ટના જજ સંજીવ ખન્નાને સુપ્રિમ કોર્ટના જજ બનાવવા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કોલેજીયમના નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો છે. આ પત્રમાં કૌલે લખ્યું છે કે સિનિયોરીટીમાં રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પ્રદીપ નંદરાજોગ ખન્ના કરતાં આગળ છે. નંદરાજોગની સિનિયોરીટીને એક બાજુએ મૂકીને ખન્નાને બઢતી આપવામાં વી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે કૌલ દ્વારા જસ્ટીસ ખન્નાની સામે અન્ય કોઇ સવાલો ઉઠાવવમાં આવ્યાં નથી. આ અગાઉ દિલ્હી હાઇકોર્ટના નિવૃત જજ કૈલાશ ગંભીરે પણ રાષ્ટ્રપતિને ખુલ્લો પત્ર લખીને ખન્નાને બઢતી આપવાના 32 જજોની સિનિયોરીટીની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
-
સુપ્રિમ કોર્ટના જજ જસ્ટીસ સંજ્ય કિશન કૌલ દ્વારા સીજે જસ્ટીસ રંજન ગોગોઇને પત્ર લખીને દિલ્હી હાઇ કોર્ટના જજ સંજીવ ખન્નાને સુપ્રિમ કોર્ટના જજ બનાવવા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કોલેજીયમના નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો છે. આ પત્રમાં કૌલે લખ્યું છે કે સિનિયોરીટીમાં રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પ્રદીપ નંદરાજોગ ખન્ના કરતાં આગળ છે. નંદરાજોગની સિનિયોરીટીને એક બાજુએ મૂકીને ખન્નાને બઢતી આપવામાં વી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે કૌલ દ્વારા જસ્ટીસ ખન્નાની સામે અન્ય કોઇ સવાલો ઉઠાવવમાં આવ્યાં નથી. આ અગાઉ દિલ્હી હાઇકોર્ટના નિવૃત જજ કૈલાશ ગંભીરે પણ રાષ્ટ્રપતિને ખુલ્લો પત્ર લખીને ખન્નાને બઢતી આપવાના 32 જજોની સિનિયોરીટીની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.