શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને કરેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેમણે સીએમ યોગીને ભોગી ગણાવતા કહ્યું કે, શિવાજીની પ્રતિમાને હાર પહેરાવતી વખતે ચપ્પલ પહેરી રાખી નાખનારા યોગીને તે જ ચપ્પલ વડે માર મારવો જોઈએ. પાલઘરમાં લોકસભાની પેટાચૂંટણી દરમિયાન રેલીને સંબોધીત કરતી વખતે આમ કહ્યું હતું.