ગુજરાતના એક કરોડપતિ કપડાના વેપારીના પુત્ર અને પુત્રીએ દુનિયાની તમામ સુખ-સંપત્તિઓનો ત્યાગ કરી વૈરાગ્ય અને સંપયનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. બન્ને જણાં 9 ડિસેમ્બરે સુરતમાં દીક્ષા લેવા જઇ રહ્યા છે, જેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ત્યારબાદ ભાઈ-બહેન, બન્નેની જિંદગી પુરી રીતે બદલાઇ જશે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ઈશિતા સોસાયટી કરોડપતિ પરિવારોનો અડ્ડો ગણાય છે. આ સોસાયટીના એક બંગ્લામાં રહેતા કપડાના વેપારી ભરત ભાઈ વોરા પોતાની પત્ની જ્યોત્સના બેન, પુત્ર યશ, પુત્રી આયુષી અને નાનો પુત્ર રાજની સાથે રહે છે. ભરતભાઈ વોરાની પાસે અઢળક રૂપિયો છે, તેમ છતાં ત્રણેય સંતાનોમાં સૌથી મોટી પુત્રી આયુષી અને તેમના નાના પુત્ર યશે તમામ સુખ સંપત્તિઓનો ત્યાગ કરી જૈન ધર્માનુસાર દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
કપડાના વેપારી ભરતભાઈ વોરાની પુત્રી આયુષી અને પુત્ર યશવોરાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીવનમાં તેમને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. તેના માટે તેમને સંયમનો રસ્તો અપનાવ્યો છે. યશ અને આયુષીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. 3 વર્ષ પહેલા અભ્યાસ દરમિયાન તેમના ગુરુ ભગવંત યશોવર્માના સંપર્કમાં આવ્યા હતા, તે દરમિયાન ભાઈ-બહેને સાંસરિક મોહ-માયાનો ત્યાગ કરવાનું મન બનાવી લીધું હતું.
ગુજરાતના એક કરોડપતિ કપડાના વેપારીના પુત્ર અને પુત્રીએ દુનિયાની તમામ સુખ-સંપત્તિઓનો ત્યાગ કરી વૈરાગ્ય અને સંપયનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. બન્ને જણાં 9 ડિસેમ્બરે સુરતમાં દીક્ષા લેવા જઇ રહ્યા છે, જેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ત્યારબાદ ભાઈ-બહેન, બન્નેની જિંદગી પુરી રીતે બદલાઇ જશે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ઈશિતા સોસાયટી કરોડપતિ પરિવારોનો અડ્ડો ગણાય છે. આ સોસાયટીના એક બંગ્લામાં રહેતા કપડાના વેપારી ભરત ભાઈ વોરા પોતાની પત્ની જ્યોત્સના બેન, પુત્ર યશ, પુત્રી આયુષી અને નાનો પુત્ર રાજની સાથે રહે છે. ભરતભાઈ વોરાની પાસે અઢળક રૂપિયો છે, તેમ છતાં ત્રણેય સંતાનોમાં સૌથી મોટી પુત્રી આયુષી અને તેમના નાના પુત્ર યશે તમામ સુખ સંપત્તિઓનો ત્યાગ કરી જૈન ધર્માનુસાર દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
કપડાના વેપારી ભરતભાઈ વોરાની પુત્રી આયુષી અને પુત્ર યશવોરાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીવનમાં તેમને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. તેના માટે તેમને સંયમનો રસ્તો અપનાવ્યો છે. યશ અને આયુષીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. 3 વર્ષ પહેલા અભ્યાસ દરમિયાન તેમના ગુરુ ભગવંત યશોવર્માના સંપર્કમાં આવ્યા હતા, તે દરમિયાન ભાઈ-બહેને સાંસરિક મોહ-માયાનો ત્યાગ કરવાનું મન બનાવી લીધું હતું.