-
ગુજરાતની ધોળકા બેઠકનું પરિણામ રદ કરવા અને મતપત્રોની ફરીથી ગણતરીની દાદ માંગતી કોંગ્રેસના હારેલા ઉમેદવાર અશ્વિન રાઠોડની રીટ સામે ભાજપના વિજેતા ઉમેદવાર અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટમાં કરેલી રીટમાં હારી જતાં તેની સામે સુપ્રિમ કોર્ટમાં કરેલી અપીલમાં પણ મંત્રીને નિરાશ થવું પડ્યું છે. સુપ્રિમે પણ રાઠોડની અરજી સાંભળવી નહીં એવી ચુડાસમાની માંગને સ્વીકારી નથી. તે જોતાં શિક્ષણમંત્રીની એક રીતે પીછેહઠ થઇ કહેવાય. સુપ્રિમમાં હાર્યા બાદ હવે હાઇકોર્ટમાં રાઠોડની અરજી પર સુનાવણી થઇ શકે છે. નોંધનીય છે કે ચુડાસમાએ આ બેઠક ખૂબ ઓછી સરસાઇથી જીતી હતી. અને પોસ્ટલ મતોમાં ગરબડ થઇ હોવાના આરોપો કોંગ્રેસે લગાવ્યાં હતા.
-
ગુજરાતની ધોળકા બેઠકનું પરિણામ રદ કરવા અને મતપત્રોની ફરીથી ગણતરીની દાદ માંગતી કોંગ્રેસના હારેલા ઉમેદવાર અશ્વિન રાઠોડની રીટ સામે ભાજપના વિજેતા ઉમેદવાર અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટમાં કરેલી રીટમાં હારી જતાં તેની સામે સુપ્રિમ કોર્ટમાં કરેલી અપીલમાં પણ મંત્રીને નિરાશ થવું પડ્યું છે. સુપ્રિમે પણ રાઠોડની અરજી સાંભળવી નહીં એવી ચુડાસમાની માંગને સ્વીકારી નથી. તે જોતાં શિક્ષણમંત્રીની એક રીતે પીછેહઠ થઇ કહેવાય. સુપ્રિમમાં હાર્યા બાદ હવે હાઇકોર્ટમાં રાઠોડની અરજી પર સુનાવણી થઇ શકે છે. નોંધનીય છે કે ચુડાસમાએ આ બેઠક ખૂબ ઓછી સરસાઇથી જીતી હતી. અને પોસ્ટલ મતોમાં ગરબડ થઇ હોવાના આરોપો કોંગ્રેસે લગાવ્યાં હતા.