વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમાલના બીજા દિવસે ઝાંસી ખાતે સભાને સંબોધન કર્યું હતું. ભારતની સેમિ બુલેટ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સ્પ્રેસનાં ઉદ્ઘાટન અને લીલી ઝંડી બતાવવાના પ્રસંગે વડા પ્રધાને દેશજોગ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશ અને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓના આકાઓ અને આતંકવાદીઓના સમર્થકોએ ભારત ઉપર કરાયેલા આ હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે. સેનાને છૂટ આપી દેવામાં આવી છે. આતંકીઓ સામે બદલો લેવા માટે જે કાર્યવાહી કરવી પડે તે સેના જાતે કરશે. સમય, સ્થળ અને સ્વરૂપ પણ સેના જ નક્કી કરશે અને હિસાબ ચૂકતે કરવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા દેશના જવાનોએ આપણા દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે, તેમનું આ બલિદાન વ્યર્થ ન જવા દેવાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમાલના બીજા દિવસે ઝાંસી ખાતે સભાને સંબોધન કર્યું હતું. ભારતની સેમિ બુલેટ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સ્પ્રેસનાં ઉદ્ઘાટન અને લીલી ઝંડી બતાવવાના પ્રસંગે વડા પ્રધાને દેશજોગ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશ અને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓના આકાઓ અને આતંકવાદીઓના સમર્થકોએ ભારત ઉપર કરાયેલા આ હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે. સેનાને છૂટ આપી દેવામાં આવી છે. આતંકીઓ સામે બદલો લેવા માટે જે કાર્યવાહી કરવી પડે તે સેના જાતે કરશે. સમય, સ્થળ અને સ્વરૂપ પણ સેના જ નક્કી કરશે અને હિસાબ ચૂકતે કરવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા દેશના જવાનોએ આપણા દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે, તેમનું આ બલિદાન વ્યર્થ ન જવા દેવાય.