હિંસા કેવળ હાથથી નહીં બલ્કે વિચાર અને વાણીમાંથી પણ થઈ શકે છે. આપણે પોતાના વિચાર શુદ્ધ કરી અહિંસા ધર્મનું નિષ્ઠાથી પાલન કરવું અને કુદરતી સૌંદર્યને જાળવવાના પ્રયાસ કરવા એમ ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. નાશિકના બાલગણ તાલુકાના ભિલવાડ ગામ નજીક માંગીતુંગીને આંગણે જૈન ધર્મના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવની ૧૦૮ ફૂટની મૂર્તિ આકાર પામી છે. આ તીર્થક્ષેત્ર (ઋષભદેવપુરમ) પર સાધ્વી પ.પૂ. જ્ઞા।નમતી માતાજી આયોજિત વિશ્વશાંતિ અહિંસા સંમેલનનો પ્રારંભ થયો હતો. આ સંમેલનના મુખ્ય અતિથિ વિશેષ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હતા જે સોમવારે અહીં સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.
હિંસા કેવળ હાથથી નહીં બલ્કે વિચાર અને વાણીમાંથી પણ થઈ શકે છે. આપણે પોતાના વિચાર શુદ્ધ કરી અહિંસા ધર્મનું નિષ્ઠાથી પાલન કરવું અને કુદરતી સૌંદર્યને જાળવવાના પ્રયાસ કરવા એમ ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. નાશિકના બાલગણ તાલુકાના ભિલવાડ ગામ નજીક માંગીતુંગીને આંગણે જૈન ધર્મના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવની ૧૦૮ ફૂટની મૂર્તિ આકાર પામી છે. આ તીર્થક્ષેત્ર (ઋષભદેવપુરમ) પર સાધ્વી પ.પૂ. જ્ઞા।નમતી માતાજી આયોજિત વિશ્વશાંતિ અહિંસા સંમેલનનો પ્રારંભ થયો હતો. આ સંમેલનના મુખ્ય અતિથિ વિશેષ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હતા જે સોમવારે અહીં સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.