વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાકને ૩ વર્ષ જેલની સજાલાયક અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. સંસદનાં ચોમાસું સત્રમાં અન્ય રાજકીય પાર્ટીઓ સાથે સર્વસંમતિ ન સધાતાં ટ્રિપલ તલાક અથવા તો મુસ્લિમ મહિલા લગ્નઅધિકાર સંરક્ષણ ખરડો, ૨૦૧૭ રાજ્યસભામાં પસાર થઈ શક્યો નહોતો, જેને પગલે સરકાર દ્વારા વટહુકમનાં માધ્યમથી આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપી દેવાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાકને ૩ વર્ષ જેલની સજાલાયક અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. સંસદનાં ચોમાસું સત્રમાં અન્ય રાજકીય પાર્ટીઓ સાથે સર્વસંમતિ ન સધાતાં ટ્રિપલ તલાક અથવા તો મુસ્લિમ મહિલા લગ્નઅધિકાર સંરક્ષણ ખરડો, ૨૦૧૭ રાજ્યસભામાં પસાર થઈ શક્યો નહોતો, જેને પગલે સરકાર દ્વારા વટહુકમનાં માધ્યમથી આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપી દેવાયું છે.