પૂરના ભોગ બનેલા લોકો માટે, કેરળ સરકાર સંયુક્ત અરબ અમિરાત (યુએઇ) પાસેથી નાણાકીય સહાય વિશે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરશે. આ માહિતી કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને આપી છે. પૂરના ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે યુએઇએ રૂ. 700 કરોડની જોગવાઈ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કોઈ પણ વિદેશી નાણાકીય સહાય મેળવવાની તરફેણમાં નથી.