-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીએકવાર હોમ સ્ટેટ આવી રહ્યાં છે. 2003માં તેમના પ્રયાસો થકી શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી એડિશનના ઉદ્ઘાટન માટે તેઓ 17મીએ આવશે. 2014માં વડાપ્રધાન થયા બાદ તેઓ ત્રીજી વખત ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે. અગાઉ 2015 અને 2017માં સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. 2019ની સમિટ બાદ હવે પછીની સમિટ 2021માં યોજાશે. અને તેનું ઉદ્ઘાટન તેમના દ્વારા થશે કે કેમ તેનો રાજકીય નિર્ણય 3-4 મહિનામાં જ થઇ જશે. 17મીએ તેઓ ટ્રેડ શો, શોપિંગ ફેસ્ટીવલ સહિત અન્ય કાર્યક્રમોમાં હાજરી આપીને 18મીએ સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નવમી સમિટનું ઉદ્ઘાટન કરશે. આમ વડાપ્રધાન સતત બે દિવસ ગુજરાતમાં રોકાશે. તેમનવા આગમનથી લઇને ગુજરાતમાંથી વિદાય સુધીના સમયગાળા દરમ્યાન સમગ્ર વહીવટી તંત્ર-પોલીસતંત્ર એકશન મોડ અને વાયબ્રન્ટ મોડ પર હશે. નવમી સમિટમાં સૌ પ્રથમવાર સોવરેઇન વેલ્ફેર ફંડ માટે દેશમાં રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજાશે. અને આફ્રિકાના દેશો ભાગ લઇ રહ્યાં હોવાથી પ્રથમવાર આફ્રિકા ડે અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ આયોજન વેપારીઓ અને ગ્રાહકોના હિતમાં કરવામાં આવ્યું છે. (File photo)
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીએકવાર હોમ સ્ટેટ આવી રહ્યાં છે. 2003માં તેમના પ્રયાસો થકી શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી એડિશનના ઉદ્ઘાટન માટે તેઓ 17મીએ આવશે. 2014માં વડાપ્રધાન થયા બાદ તેઓ ત્રીજી વખત ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે. અગાઉ 2015 અને 2017માં સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. 2019ની સમિટ બાદ હવે પછીની સમિટ 2021માં યોજાશે. અને તેનું ઉદ્ઘાટન તેમના દ્વારા થશે કે કેમ તેનો રાજકીય નિર્ણય 3-4 મહિનામાં જ થઇ જશે. 17મીએ તેઓ ટ્રેડ શો, શોપિંગ ફેસ્ટીવલ સહિત અન્ય કાર્યક્રમોમાં હાજરી આપીને 18મીએ સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નવમી સમિટનું ઉદ્ઘાટન કરશે. આમ વડાપ્રધાન સતત બે દિવસ ગુજરાતમાં રોકાશે. તેમનવા આગમનથી લઇને ગુજરાતમાંથી વિદાય સુધીના સમયગાળા દરમ્યાન સમગ્ર વહીવટી તંત્ર-પોલીસતંત્ર એકશન મોડ અને વાયબ્રન્ટ મોડ પર હશે. નવમી સમિટમાં સૌ પ્રથમવાર સોવરેઇન વેલ્ફેર ફંડ માટે દેશમાં રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજાશે. અને આફ્રિકાના દેશો ભાગ લઇ રહ્યાં હોવાથી પ્રથમવાર આફ્રિકા ડે અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ આયોજન વેપારીઓ અને ગ્રાહકોના હિતમાં કરવામાં આવ્યું છે. (File photo)