સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલાને તમામ પક્ષોના નેતાઓએ વખોડી કાઢ્યો હતો અને સરકાર તુરંત યોગ્ય પગલાં ભરે એવી માગણી કરી હતી. વિપક્ષોએ સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે સરકારે દાવાઓ બહુ કર્યા, હવે આતંકવાદ સામે પગલાં ભરવાનો સમય આવી ગયો છે.
સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે આખો દેશ પરાક્રમી અને હિંમતવાન જવાનોના પરિવારોના ખભા સાથે ખભો મિલાવીને ઉભો છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરીને ઘટના અંગે ચર્ચા કરી હતી.
સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલાને તમામ પક્ષોના નેતાઓએ વખોડી કાઢ્યો હતો અને સરકાર તુરંત યોગ્ય પગલાં ભરે એવી માગણી કરી હતી. વિપક્ષોએ સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે સરકારે દાવાઓ બહુ કર્યા, હવે આતંકવાદ સામે પગલાં ભરવાનો સમય આવી ગયો છે.
સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે આખો દેશ પરાક્રમી અને હિંમતવાન જવાનોના પરિવારોના ખભા સાથે ખભો મિલાવીને ઉભો છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરીને ઘટના અંગે ચર્ચા કરી હતી.