પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં વરસાદ અને વાવાઝોડાંના કારણે અંદાજિત 39 લોકોનાં મોત થયા છે. દેશના કેટલાંક જિલ્લામાં સંપત્તિને ઘણું નુકસાન થયું છે, જ્યારે કેટલાંક વિસ્તારોમાં સતત વરસાદથી પૂરની આશંકા વધી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પશ્ચિમ, મધ્ય અને ઉત્તર વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના કારણે મોટાભાગના મકાનોમાં કીચડ ભરાઇ ગયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા વાવાઝોડાંના કારણે અંદાજિત 9 લોકોનાં મોત થયા છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા, ગ્વાદર, છગાઇ, હર્નાઇ, જેફરાબદા, બાર્ખાન, સિબી, દુકી સહિત અમુક વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડાંના કારણે 4 લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાંક ઘાયલ થયા છે. ડઝન લોકો સહિત ચાર માછીમારો પણ ગાયબ છે. વાવાઝોડાંના કારણે કરાચીની સ્કૂલો અને કેટલાંક ભવનોને પણ નુકસાન થયું છે.
પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં વરસાદ અને વાવાઝોડાંના કારણે અંદાજિત 39 લોકોનાં મોત થયા છે. દેશના કેટલાંક જિલ્લામાં સંપત્તિને ઘણું નુકસાન થયું છે, જ્યારે કેટલાંક વિસ્તારોમાં સતત વરસાદથી પૂરની આશંકા વધી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પશ્ચિમ, મધ્ય અને ઉત્તર વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના કારણે મોટાભાગના મકાનોમાં કીચડ ભરાઇ ગયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા વાવાઝોડાંના કારણે અંદાજિત 9 લોકોનાં મોત થયા છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં અધિકારીઓએ 9 લોકોનાં મોત બાદ ઇમરજન્સી એલર્ટની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા, ગ્વાદર, છગાઇ, હર્નાઇ, જેફરાબદા, બાર્ખાન, સિબી, દુકી સહિત અમુક વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડાંના કારણે 4 લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાંક ઘાયલ થયા છે. ડઝન લોકો સહિત ચાર માછીમારો પણ ગાયબ છે. વાવાઝોડાંના કારણે કરાચીની સ્કૂલો અને કેટલાંક ભવનોને પણ નુકસાન થયું છે.