-
આધાર.....આધાર....આધાર.....છેલ્લાં કેટલાક વર્ષોથી આધાર કાર્ડના મામલે વાદ-વિવાદ, માન્યતા-બિન માન્યતા અને બેંક-સિમ માટે આધાર કાર્ડ અનિવાર્ય કે કે કેમ તે તમામ સવાલો અને સમસ્યાઓનો અંત લાવીને સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે 4-1ની બહુમતિથી ચુકાદો આપીને ઠરાવ્યું છે કે આધાર કાર્ડ દેશના ગરીબોની તાકાત અને અધિકાર છે. આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા સમાન છે. બેંચના જજ જસ્ટીસ એ.કે. સિકરીએ ચુકાદો જાહેર કરતાં સમગ્ર બાબત સ્પષ્ટ કરી કે મોબાઈલ અને બેંક એકાઉન્ટના લિંક માટે આધાર કાર્ડની કોઇ જ જરૂર નથી. શાળામાં પ્રવેશ માટે આધાર કાર્ડ જરૂર નહીં હોવાનો આદેશ પણ આપ્યા છે. આ ઉપરાંત સી.બી.એસ.ઈ. , યુ.જી.સી. અને “નીટ”માં પણ આધાર કાર્ડની જરૂરી નથી. તે સાથે જ કોર્ટે તેની બંધારણીય માન્યતાને અનુમોદન આપ્યું છે. આ ચુકાદાથી લાખો-કરોડો નાગરિકોને માનસિક રાહત મળે તેમ છે.
જો કે આધારની ક્યાં જરૂર પડશે તે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આઈ.ટી. રિટર્ન માટે આધાર અને પાન કાર્ડ જરૂરી રહેશે. આધારના ડેટા ચોરીના દાવા અંગે કોર્ટે કહ્યુ કે, કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ડેટાને સુરક્ષિત કરવા તાકીદે કાયદો બનાવે.
ચાલો વધુ વિગતો પર એક નજર......
-
- આધારકાર્ડ એકદમ સલામત....
- સીબીએસઈ અને યુજીસીને આધારમાંથી મુક્તિ...
- શાળામાં પ્રવેશ માટે હવે આધારની કોઈ જરૂર નથી, વાલીઓને રાહત..
- 6થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ માટે આધારમાંથી મુક્તિ...
- સરકાર આધારના ડેટાની સુરક્ષા માટે કાયદો બનાવે...
- આઈ. ટી. રિટર્ન માટે આધાર જરૂરી...
- આધાર ગરીબની તાકાત...
- સરકારે આધાર કાર્ડ માટે કોઈ જ તૈયારી કરી ન હતી....
- આધાર એક્ટમાં એવું કંઈ જ નથી કે જેનાથી કોઈની અંગતતા પર સવાલો ઊભા થાય
-
આધાર મૌલિક અધિકારોનું ઉલ્લંધન કરતું નથી. ...
-
- સુપ્રીમ કોર્ટનાચુકાદાથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે હવે બેન્ક ખાતા, મોબાઇલ ઓપરેટર્સ અથવા કોઇ સરકારી યોજનાઓમાં આધારકાર્ડ જરૂરી નહી હોય.
-
- આધાર કાર્ડ ગરીબોની તાકાત છે તેમાં ડુપ્લીકેસીની સંભાવના નથી.
- આધાર બનાવવા માટે જે પણ ડેટા લેવામાં આવ્યો છે તે ઘણો ઓછો છે, તેની સરખામણીમાં જે ફાયદો મળે છે તે અનેક ગણો વધારે છે.
-
આધાર.....આધાર....આધાર.....છેલ્લાં કેટલાક વર્ષોથી આધાર કાર્ડના મામલે વાદ-વિવાદ, માન્યતા-બિન માન્યતા અને બેંક-સિમ માટે આધાર કાર્ડ અનિવાર્ય કે કે કેમ તે તમામ સવાલો અને સમસ્યાઓનો અંત લાવીને સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે 4-1ની બહુમતિથી ચુકાદો આપીને ઠરાવ્યું છે કે આધાર કાર્ડ દેશના ગરીબોની તાકાત અને અધિકાર છે. આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા સમાન છે. બેંચના જજ જસ્ટીસ એ.કે. સિકરીએ ચુકાદો જાહેર કરતાં સમગ્ર બાબત સ્પષ્ટ કરી કે મોબાઈલ અને બેંક એકાઉન્ટના લિંક માટે આધાર કાર્ડની કોઇ જ જરૂર નથી. શાળામાં પ્રવેશ માટે આધાર કાર્ડ જરૂર નહીં હોવાનો આદેશ પણ આપ્યા છે. આ ઉપરાંત સી.બી.એસ.ઈ. , યુ.જી.સી. અને “નીટ”માં પણ આધાર કાર્ડની જરૂરી નથી. તે સાથે જ કોર્ટે તેની બંધારણીય માન્યતાને અનુમોદન આપ્યું છે. આ ચુકાદાથી લાખો-કરોડો નાગરિકોને માનસિક રાહત મળે તેમ છે.
જો કે આધારની ક્યાં જરૂર પડશે તે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આઈ.ટી. રિટર્ન માટે આધાર અને પાન કાર્ડ જરૂરી રહેશે. આધારના ડેટા ચોરીના દાવા અંગે કોર્ટે કહ્યુ કે, કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ડેટાને સુરક્ષિત કરવા તાકીદે કાયદો બનાવે.
ચાલો વધુ વિગતો પર એક નજર......
-
- આધારકાર્ડ એકદમ સલામત....
- સીબીએસઈ અને યુજીસીને આધારમાંથી મુક્તિ...
- શાળામાં પ્રવેશ માટે હવે આધારની કોઈ જરૂર નથી, વાલીઓને રાહત..
- 6થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ માટે આધારમાંથી મુક્તિ...
- સરકાર આધારના ડેટાની સુરક્ષા માટે કાયદો બનાવે...
- આઈ. ટી. રિટર્ન માટે આધાર જરૂરી...
- આધાર ગરીબની તાકાત...
- સરકારે આધાર કાર્ડ માટે કોઈ જ તૈયારી કરી ન હતી....
- આધાર એક્ટમાં એવું કંઈ જ નથી કે જેનાથી કોઈની અંગતતા પર સવાલો ઊભા થાય
-
આધાર મૌલિક અધિકારોનું ઉલ્લંધન કરતું નથી. ...
-
- સુપ્રીમ કોર્ટનાચુકાદાથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે હવે બેન્ક ખાતા, મોબાઇલ ઓપરેટર્સ અથવા કોઇ સરકારી યોજનાઓમાં આધારકાર્ડ જરૂરી નહી હોય.
-
- આધાર કાર્ડ ગરીબોની તાકાત છે તેમાં ડુપ્લીકેસીની સંભાવના નથી.
- આધાર બનાવવા માટે જે પણ ડેટા લેવામાં આવ્યો છે તે ઘણો ઓછો છે, તેની સરખામણીમાં જે ફાયદો મળે છે તે અનેક ગણો વધારે છે.