અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર બે દિવસ પહેલા સાફસફાઇ દરમિયાન પાટણ ડેમો ટ્રેનમાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. રેલ્વે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. ત્યારે પોલીસે એક સગીરા અને તેના પ્રેમી યુવક રજનિકાંત મકવાણીને ઝડપી પાડ્યો છે. બન્ને શખ્સો બાળકીને પાટણ ડેમો ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયા હતા. નોંધનિય છે કે બન્ને ટ્રેનમાં લવારીશ મૂક્યા બાદ વિસનગરમાં બાળકી ગુમ થયાની ફરિયાદ પણ નોંધવવા ગયા હતા. જેનાં આધારે બન્ને ઝડપાઈ ગયા છે.
રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડીવાયએસપી જે.પી.રાઓલનું કહેવું છે કે સગીરા મુળ અમદાવાદની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલા રીક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ નામના વ્યકિત સાથે રાણીપમાં ભાડે મકાન રાખી રહેતી હતી. હિમાંશુ પટેલ સાથે સંબંધમાં તેને આ બાળકી રહી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ હિમાંશુએ લગ્નની ના પાડી દેતા સગીરાની સિવિલ હોસ્પિટલમાં વિસનગરના રહેવાસી રજનીકાંત સાથે મુલાકાત થઈ હતી.
અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર બે દિવસ પહેલા સાફસફાઇ દરમિયાન પાટણ ડેમો ટ્રેનમાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. રેલ્વે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. ત્યારે પોલીસે એક સગીરા અને તેના પ્રેમી યુવક રજનિકાંત મકવાણીને ઝડપી પાડ્યો છે. બન્ને શખ્સો બાળકીને પાટણ ડેમો ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયા હતા. નોંધનિય છે કે બન્ને ટ્રેનમાં લવારીશ મૂક્યા બાદ વિસનગરમાં બાળકી ગુમ થયાની ફરિયાદ પણ નોંધવવા ગયા હતા. જેનાં આધારે બન્ને ઝડપાઈ ગયા છે.
રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડીવાયએસપી જે.પી.રાઓલનું કહેવું છે કે સગીરા મુળ અમદાવાદની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલા રીક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ નામના વ્યકિત સાથે રાણીપમાં ભાડે મકાન રાખી રહેતી હતી. હિમાંશુ પટેલ સાથે સંબંધમાં તેને આ બાળકી રહી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ હિમાંશુએ લગ્નની ના પાડી દેતા સગીરાની સિવિલ હોસ્પિટલમાં વિસનગરના રહેવાસી રજનીકાંત સાથે મુલાકાત થઈ હતી.