વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામના મોટાભાગના જિલ્લાઓ બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓને કારણે પૂરગ્રસ્ત બની ચૂક્યા છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૨૬ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા છે. બીજી તરફ આસામમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર છે. તેના પગલે ૧૮ લાખ લોકોને અસર પહોંચી છે. આસામના ધેમાજી, બિસ્વનાથ, નલવાડી, ચિરાંગ, ગોલાઘાટ,માજૂલી, જોરહાટ, દિબ્રુગઢ, નગાંવ, મોરીગાંવ કોકરાઝાર, બક્સા, સોનિતપુર, બારપેટામાં પૂરની સૌથી વધારે અસર પહોંચી છે.
વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામના મોટાભાગના જિલ્લાઓ બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓને કારણે પૂરગ્રસ્ત બની ચૂક્યા છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૨૬ લાખ જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા છે. બીજી તરફ આસામમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર છે. તેના પગલે ૧૮ લાખ લોકોને અસર પહોંચી છે. આસામના ધેમાજી, બિસ્વનાથ, નલવાડી, ચિરાંગ, ગોલાઘાટ,માજૂલી, જોરહાટ, દિબ્રુગઢ, નગાંવ, મોરીગાંવ કોકરાઝાર, બક્સા, સોનિતપુર, બારપેટામાં પૂરની સૌથી વધારે અસર પહોંચી છે.