સાત દાયકા જૂના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની ૪૦ દિવસ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલેલી મેરેથોન સુનાવણીનો બુધવારે સાંજે ૪ કલાકે અંત આવી ગયો હતો. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા કેસનો ચુકાદો અનામત રાખી લીધો હતો. બંધારણીય બેન્ચે સંબંધિત તમામ ૧૨ પક્ષકારોને મોલ્ડિંગ ઓફ રિલીફ પર લેખિત નોંધ માટે ૩ દિવસનો વધારાનો સમય આપ્યો હતો.
સાત દાયકા જૂના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની ૪૦ દિવસ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલેલી મેરેથોન સુનાવણીનો બુધવારે સાંજે ૪ કલાકે અંત આવી ગયો હતો. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા કેસનો ચુકાદો અનામત રાખી લીધો હતો. બંધારણીય બેન્ચે સંબંધિત તમામ ૧૨ પક્ષકારોને મોલ્ડિંગ ઓફ રિલીફ પર લેખિત નોંધ માટે ૩ દિવસનો વધારાનો સમય આપ્યો હતો.