સમાજ સેવા ક્ષેત્રે દિગ્ગજ હસ્તી ગણાતા બાબા આમટેની પૌત્રી અને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર ડો.શીતલ આમટે-કર્જકી(Dr. Sheetal Amte) એ સોમવારે સવારે આનંદવન આશ્રમ ખાતે આત્મહત્યા કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી. શીતલ આમટેએ પોતાને ઝેરનું ઈન્જેક્શન આપી દીધુ.
ડોક્ટર શીતલ આમટે આનંદવનના મહારોગી સેવા સમીતિના સીઈઓ પણ હતા. કહેવાય છે કે શીતલે ઘરેલુ સમસ્યાના કારણે આત્મહત્યા કરી. વરોરા ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા તો ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શીતલ આમટેને 2016માં વિશ્વ આર્થિક મંચ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર 2016' તરીકે પણ પસંદ કરાયા હતા.
સમાજ સેવા ક્ષેત્રે દિગ્ગજ હસ્તી ગણાતા બાબા આમટેની પૌત્રી અને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર ડો.શીતલ આમટે-કર્જકી(Dr. Sheetal Amte) એ સોમવારે સવારે આનંદવન આશ્રમ ખાતે આત્મહત્યા કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી. શીતલ આમટેએ પોતાને ઝેરનું ઈન્જેક્શન આપી દીધુ.
ડોક્ટર શીતલ આમટે આનંદવનના મહારોગી સેવા સમીતિના સીઈઓ પણ હતા. કહેવાય છે કે શીતલે ઘરેલુ સમસ્યાના કારણે આત્મહત્યા કરી. વરોરા ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા તો ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શીતલ આમટેને 2016માં વિશ્વ આર્થિક મંચ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર 2016' તરીકે પણ પસંદ કરાયા હતા.