Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટીદાર અનામત આંદોલન બાદ નોંધાયેલા મહત્વપૂર્ણ કેસમાં પાટીદાર નેતા અને હાલના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળવા જઈ રહી છે. વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હવે સરકાર દ્વારા પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
આ કેસ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં યોજાયેલા પ્રતીક ઉપવાસ સાથે સંકળાયેલો હતો. આરોપ મુજબ પરવાનગી વિના ધરણા યોજવા, લોકોને ઉશ્કેરવા અને પોલીસ કર્મચારીઓ સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા સહિતના મુદ્દાઓ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે કેસ નોંધાઈ ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ