Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે(10) રાત્રે જામનગરમાં હાલારી પાઘડી પહેરીને વડાપ્રધાને સંબોધન કર્યું હતું. જામનગરની જનસભા સ્થળે પીએમના સ્વાગતમાં વિશાળ જનમેદની ઉમટી હતી. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'બંગાળ પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો...' જ્યારે હવે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન આવતીકાલે સોમવારે(11 મે) સવારે સોમનાથ જશે.
જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદી 10-11 મે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. રવિવારે(10 મે) જામનગરમાં પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. આ દરમિયાન લોકગાયક કીર્તીદાન ગઢવીની સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ