પાકિસ્તાને ગુજરાતની સરહદ પાસે આવેલું ભોલારી એરબેઝ અપગ્રેડ કરી ત્યાં 28 જેટલા એફ-16 વિમાનો તૈનાત કરી દીધા છે. 2018માં આ એરબેઝનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે.
સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે કે એરબેઝમાં વિમાનો સુરક્ષિત રાખવાના હેંગર તૈયાર થઈ ચૂક્યા છે. કેટલાક હેંગરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેટેલાઈટ તસવીરમાં પાકિસ્તાનનું આ એરબેઝ અપગ્રેડ થતું જોવા મળ્યું હતું.
આ સ્થળે 1965ના યુદ્ધ વખતે ભીષણ જંગ ખેલાયો હતો. એ એરબેઝને હવે પાકિસ્તાને અપગ્રેડ કર્યું છે. વધુ વિમાનો શમાવી શકાય એ માટે હેન્ગર, અન્ડરગ્રાઉન્ડ બંકર્સ, રન-વે સહિતના બાંધકામો ઉભા કરાયા છે. આ એરબેઝ કચ્છ સરહદથી માંડ સવાસો કિલોમીટરના અંતરે છે. તો વળી અમદાવાદ-વડોદરા જેવા શહેરો છસ્સો કિલોમીટરથી વધારે દૂર નથી થતા.
1965ના યુદ્ધ વખતે અહીં ભીષણ જંગ ખેલાયો હતો. જોકે સામે પક્ષે ભારતીય વાયુસેનાના ઘણા હવાઈ મથકો કચ્છ-રાજસ્થાન સરહદ નજીક છે અને પાકિસ્તાની વાયુસેનાને પહોંચી વળવા સક્ષમ છે. અહીં તૈનાત કરેલા વિમાનો એફ-16 પાકિસ્તાનને ચીન તરફથી મળેલા છે.
પાકિસ્તાને ગુજરાતની સરહદ પાસે આવેલું ભોલારી એરબેઝ અપગ્રેડ કરી ત્યાં 28 જેટલા એફ-16 વિમાનો તૈનાત કરી દીધા છે. 2018માં આ એરબેઝનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે.
સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે કે એરબેઝમાં વિમાનો સુરક્ષિત રાખવાના હેંગર તૈયાર થઈ ચૂક્યા છે. કેટલાક હેંગરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેટેલાઈટ તસવીરમાં પાકિસ્તાનનું આ એરબેઝ અપગ્રેડ થતું જોવા મળ્યું હતું.
આ સ્થળે 1965ના યુદ્ધ વખતે ભીષણ જંગ ખેલાયો હતો. એ એરબેઝને હવે પાકિસ્તાને અપગ્રેડ કર્યું છે. વધુ વિમાનો શમાવી શકાય એ માટે હેન્ગર, અન્ડરગ્રાઉન્ડ બંકર્સ, રન-વે સહિતના બાંધકામો ઉભા કરાયા છે. આ એરબેઝ કચ્છ સરહદથી માંડ સવાસો કિલોમીટરના અંતરે છે. તો વળી અમદાવાદ-વડોદરા જેવા શહેરો છસ્સો કિલોમીટરથી વધારે દૂર નથી થતા.
1965ના યુદ્ધ વખતે અહીં ભીષણ જંગ ખેલાયો હતો. જોકે સામે પક્ષે ભારતીય વાયુસેનાના ઘણા હવાઈ મથકો કચ્છ-રાજસ્થાન સરહદ નજીક છે અને પાકિસ્તાની વાયુસેનાને પહોંચી વળવા સક્ષમ છે. અહીં તૈનાત કરેલા વિમાનો એફ-16 પાકિસ્તાનને ચીન તરફથી મળેલા છે.