ભારતના ઔષધિ નિયંત્રકે ચામડીના રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા આઈટોલીઝુમૈબ ઈન્જેક્શનને કોરોના દર્દીની સારવાર માટે મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે. જે દર્દીને શ્વાસ લેવામાં મધ્યમ તથા ગંભીર સ્તરની મુશ્કેલી છે તેમના માટે જ આ ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર પર વિચાર કરતાં ભારતના ઔષધિ મહાનિયંત્રક ડૉ. વી જી સોમાનીએ કોરના વાયરસના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન ન મળવાની ગંભીર અવસ્થામાં ઈમરજન્સી સ્થિતિમાં મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન આઈટોલીઝુમૈબના મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે.
આ અંગે એક અધિકારીએ કહ્યું, એઇમ્સ સહિત અન્ય હોસ્પિટલમાં શ્વસન રોગ નિષ્ણાતો, ઔષધિ વિજ્ઞાનીઓ તથા દવા વિશેષજ્ઞોની સમિતિ દ્વારા ભારતમાં કોવિડ-19 દર્દી પર તબીબી પરીક્ષણ સંતોષજનક રહ્યા બાદ આ ઈન્જેક્શનન ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી ચામડીના રોગની સારવાર માટે બાયોકોન કંપનીની પહેલાથી સ્વીકૃત દવા છે. આ દવાના ઉપયોગ પહેલા દરેક દર્દીની લેખિતમાં મંજૂરી જરૂરી છે.
ભારતના ઔષધિ નિયંત્રકે ચામડીના રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા આઈટોલીઝુમૈબ ઈન્જેક્શનને કોરોના દર્દીની સારવાર માટે મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે. જે દર્દીને શ્વાસ લેવામાં મધ્યમ તથા ગંભીર સ્તરની મુશ્કેલી છે તેમના માટે જ આ ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર પર વિચાર કરતાં ભારતના ઔષધિ મહાનિયંત્રક ડૉ. વી જી સોમાનીએ કોરના વાયરસના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન ન મળવાની ગંભીર અવસ્થામાં ઈમરજન્સી સ્થિતિમાં મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન આઈટોલીઝુમૈબના મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે.
આ અંગે એક અધિકારીએ કહ્યું, એઇમ્સ સહિત અન્ય હોસ્પિટલમાં શ્વસન રોગ નિષ્ણાતો, ઔષધિ વિજ્ઞાનીઓ તથા દવા વિશેષજ્ઞોની સમિતિ દ્વારા ભારતમાં કોવિડ-19 દર્દી પર તબીબી પરીક્ષણ સંતોષજનક રહ્યા બાદ આ ઈન્જેક્શનન ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી ચામડીના રોગની સારવાર માટે બાયોકોન કંપનીની પહેલાથી સ્વીકૃત દવા છે. આ દવાના ઉપયોગ પહેલા દરેક દર્દીની લેખિતમાં મંજૂરી જરૂરી છે.