સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હિજરતી મજૂરોમાં વ્યાપેલો ગભરાટ કોરોના વાઇરસ કરતાં પણ વધુ જાનહાનિ કરશે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે સરકારને કાઉન્સેલર્સની જરૂર છે. સરકાર લોકોને મજબૂત બનાવવા માટે ભજન-કીર્તન, નમાજ અથવા ગમે તે કરાવી શકે છે. સરકાર તમામ ધર્મોના આગેવાનોને આ કામમાં જોડી શકે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હિજરતી મજૂરોમાં વ્યાપેલો ગભરાટ કોરોના વાઇરસ કરતાં પણ વધુ જાનહાનિ કરશે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે સરકારને કાઉન્સેલર્સની જરૂર છે. સરકાર લોકોને મજબૂત બનાવવા માટે ભજન-કીર્તન, નમાજ અથવા ગમે તે કરાવી શકે છે. સરકાર તમામ ધર્મોના આગેવાનોને આ કામમાં જોડી શકે છે.