ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે. વિશ્વગુરુ બનાવવાનો છે. કારણ કે તેની જરૂર છે. ભારતે પોતાના માટે મોટા બનવાનું નથી. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેનો અર્થ થાય છે નાઝી કે હિટલર. આપણે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે. વિશ્વગુરુ બનાવવાનો છે. કારણ કે તેની જરૂર છે. ભારતે પોતાના માટે મોટા બનવાનું નથી. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેનો અર્થ થાય છે નાઝી કે હિટલર. આપણે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.