Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં ગેસના પૂરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર સંપૂર્ણ આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા ઘરોમાં ગેસ પહોંચાડવી રાખવામાં આવી છે અને તેમાં કોઈપણ નુકસાન નહીં થાય તે સુનિશ્ચિત કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં ૫૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં ૪૦ ટકા કાપ લાગુ કરવામાં આવ્યો છે. ઉર્જા પ્રધાનનું કહેવુ છે કે ઘરોમાં એકપણ ચૂલો બંધ ન થાય અને કોમર્શિયલ સિલિન્ડરમાં હાલ કોઈપણ પ્રકારનો કાપ લાગુ કરવામાં આવ્યો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ