-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસે.ના રોજ ભારતના પ્રથમ સૌથી લાંબા પુલ બોગીબીલનું ઉદઘાટન કર્યું તેની આધારશિલા તત્કાલીન વડાપ્રધાન અને કર્ણાટકમાં જેડી-એસ પક્ષના વડા એચ.ડી. દેવે ગોવડા એ મૂકી હતી. પરંતુ ઉદઘાટન વખતે મોદી સરકારે તેમને યાદ ન કર્યા અને હાજર પણ ન રાખ્યા તે અંગે મિડિયાએ આજે કર્ણાટકમાં એક જાહેર કાર્યક્રમમાં તેમને પૂછ્યું ત્યારે તેમણે અસલ અંદાજમાં લહેકો કરીને કહ્યું કે અય્યો રામા..!કૌન મુઝે યાદ કરેંગા..?કેટલાક અખબારોએ કદાજ તેનો ઉલ્લેખ કર્યો હશે. આ પુલ બનવામાં થયેલા વિલંબ અંગે તેમણે કહ્યું કે મોદી સરકાર કહે છે તેવું નથી. મારા વડાપ્રધાનપદના કાર્યકાળમાં અનેક યોજનાઓ પૂરી કરાવી હતી. કાશમીર માટે રેલવે લાઇન, દિલ્હી મેટ્રો અને બોગીબીલ રેલ-સડક પુલ યોજનાઓને મારી સરકારે મંજૂરી આપી હતી અને તેમની આધારશિલા મૂકી હતી. પરંતુ આજે લોકો એ ભૂલી ગયા તેનું મને દુઃખ છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસે.ના રોજ ભારતના પ્રથમ સૌથી લાંબા પુલ બોગીબીલનું ઉદઘાટન કર્યું તેની આધારશિલા તત્કાલીન વડાપ્રધાન અને કર્ણાટકમાં જેડી-એસ પક્ષના વડા એચ.ડી. દેવે ગોવડા એ મૂકી હતી. પરંતુ ઉદઘાટન વખતે મોદી સરકારે તેમને યાદ ન કર્યા અને હાજર પણ ન રાખ્યા તે અંગે મિડિયાએ આજે કર્ણાટકમાં એક જાહેર કાર્યક્રમમાં તેમને પૂછ્યું ત્યારે તેમણે અસલ અંદાજમાં લહેકો કરીને કહ્યું કે અય્યો રામા..!કૌન મુઝે યાદ કરેંગા..?કેટલાક અખબારોએ કદાજ તેનો ઉલ્લેખ કર્યો હશે. આ પુલ બનવામાં થયેલા વિલંબ અંગે તેમણે કહ્યું કે મોદી સરકાર કહે છે તેવું નથી. મારા વડાપ્રધાનપદના કાર્યકાળમાં અનેક યોજનાઓ પૂરી કરાવી હતી. કાશમીર માટે રેલવે લાઇન, દિલ્હી મેટ્રો અને બોગીબીલ રેલ-સડક પુલ યોજનાઓને મારી સરકારે મંજૂરી આપી હતી અને તેમની આધારશિલા મૂકી હતી. પરંતુ આજે લોકો એ ભૂલી ગયા તેનું મને દુઃખ છે.