કેન્દ્રના કૃષિ કાયદા અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન શુક્રવારે નવમા દિવસે પ્રવેશ્યું હતું. કાયદા મુદ્દે ગુરુવારે સરકાર સાથેની બેઠક નિષ્ફળ ગયા બાદ શનિવારે વધુ એક બેઠકનો સિલસિલો ગોઠવાયો છે ત્યારે સરકારની સાથેસાથે ખેડૂતોએ પણ પોતાની રણનીતિ બનાવી લીધી છે. શુક્રવારે સાંજે ખેડૂત નેતાઓએ સરકારને અલ્ટિમેટમ આપી દીધું હતું. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવશે અને દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. શનિવારે જ ખેડૂતો દ્વારા સરકાર વિરોધી પૂતળાં દહન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવારની બેઠકમાં સરકાર સાથે કોઈપણ મુદ્દે સમાધાન કરવામાં નહીં આવે. સરકાર કાયદો પાછો ખેંચવાની બાંયધરી નહીં આપે તો આ લડાઈ વધારે ચાલશે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીને જોડતા જે રસ્તા ખુલ્લા છે તેને પણ હવે બંધ કરવામાં આવશે અને ચક્કાજામ કરીને ચારે તરફથી દિલ્હી બંધ કરી દેવામાં આવશે.
કેન્દ્રના કૃષિ કાયદા અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન શુક્રવારે નવમા દિવસે પ્રવેશ્યું હતું. કાયદા મુદ્દે ગુરુવારે સરકાર સાથેની બેઠક નિષ્ફળ ગયા બાદ શનિવારે વધુ એક બેઠકનો સિલસિલો ગોઠવાયો છે ત્યારે સરકારની સાથેસાથે ખેડૂતોએ પણ પોતાની રણનીતિ બનાવી લીધી છે. શુક્રવારે સાંજે ખેડૂત નેતાઓએ સરકારને અલ્ટિમેટમ આપી દીધું હતું. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવશે અને દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. શનિવારે જ ખેડૂતો દ્વારા સરકાર વિરોધી પૂતળાં દહન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવારની બેઠકમાં સરકાર સાથે કોઈપણ મુદ્દે સમાધાન કરવામાં નહીં આવે. સરકાર કાયદો પાછો ખેંચવાની બાંયધરી નહીં આપે તો આ લડાઈ વધારે ચાલશે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીને જોડતા જે રસ્તા ખુલ્લા છે તેને પણ હવે બંધ કરવામાં આવશે અને ચક્કાજામ કરીને ચારે તરફથી દિલ્હી બંધ કરી દેવામાં આવશે.