જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ગિરનારની મુલાકાતે આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે 18મી જુલાઈથી ગિરનાર પર્વત પર અવરજવર માટે ‘IN અને OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. યાત્રાળુઓ નવી-જૂની સીડી કે રોપવે મારફતે જતી વખતે QR કોડ સ્કેન કરીને ઓનલાઈન અથવા સ્માર્ટફોન ન હોય તો સ્થળ પર સ્ટાફની મદદથી ઓફલાઈન નોંધણી કરાવી શકશે. આ માટે યાત્રિકોએ પોતાની સાથે ઓળખકાર્ડ રાખવું પડશે. દર્શન કરીને પરત ફરતી વખતે ‘OUT’ એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. NIC ટીમ દ્વારા આ વિશેષ સુરક્ષા પોર્ટલ તૈયાર કરાયું છે, જે આપત્તિ સમયે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને વન્યજીવોના સંરક્ષણમાં વહીવટી તંત્રને મદદરૂપ બનશે.




10.jpg)


49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





