ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે કહી રહી છે. આ અંગે આજે સવારે શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોને મળીને સાંત્વના આપીને જરૂર પડે તો હું સરકાર અને રાજ્યપાલની સાથે વાત કરીશ તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે ગુજરાતભરમાંથી બિન સચિવાલયની પરીક્ષાનાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતાં. જેમાં તેમણે સરાકારને પુરાવા સાથે કહ્યું હતું કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પરંતુ સરકાર કંઇ સાંભળવા તૈયાર જ નથી અને જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેને હું વખોડી કાઢું છું.
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે કહી રહી છે. આ અંગે આજે સવારે શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોને મળીને સાંત્વના આપીને જરૂર પડે તો હું સરકાર અને રાજ્યપાલની સાથે વાત કરીશ તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે ગુજરાતભરમાંથી બિન સચિવાલયની પરીક્ષાનાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતાં. જેમાં તેમણે સરાકારને પુરાવા સાથે કહ્યું હતું કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પરંતુ સરકાર કંઇ સાંભળવા તૈયાર જ નથી અને જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેને હું વખોડી કાઢું છું.