-
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન કે જેઓ પૂર્વ ક્રિકેટર છે તેમણે ભારત સરકારની કરતારપુર કોરિડોર ખોલવાની માંગણી સ્વીકારીને તેના શિલાન્યાસ માટે મોદી સરકારમાંથી કોઇને બોલાવવાને બદલે તેમના ક્રિકેટ સમયના મિત્ર અને પંજાબના મંત્રી નવજોત સિધુને આમંત્રણ આપ્યું છે. 28નવે. ના રોજ ઇમરાનખાન તેનું કામ શરૂ કરાવશે. સૂત્રોએ કહ્યું કે સિધુ ભારત સરકારની મંજૂરી લઇને તેમાં હાજરી આપશે. સિધુએ હમણાં પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે ભાજપ દ્વારા તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતા. પરંતુ તેમના પ્રયાસોથી સિખો માટે પોતાના ધર્મના સ્થાપક ગુરૂ નાનકદેવની જન્મભૂમિના દર્શન કરવાનો માર્ગ મોકળો થયો છે.
-
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન કે જેઓ પૂર્વ ક્રિકેટર છે તેમણે ભારત સરકારની કરતારપુર કોરિડોર ખોલવાની માંગણી સ્વીકારીને તેના શિલાન્યાસ માટે મોદી સરકારમાંથી કોઇને બોલાવવાને બદલે તેમના ક્રિકેટ સમયના મિત્ર અને પંજાબના મંત્રી નવજોત સિધુને આમંત્રણ આપ્યું છે. 28નવે. ના રોજ ઇમરાનખાન તેનું કામ શરૂ કરાવશે. સૂત્રોએ કહ્યું કે સિધુ ભારત સરકારની મંજૂરી લઇને તેમાં હાજરી આપશે. સિધુએ હમણાં પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે ભાજપ દ્વારા તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતા. પરંતુ તેમના પ્રયાસોથી સિખો માટે પોતાના ધર્મના સ્થાપક ગુરૂ નાનકદેવની જન્મભૂમિના દર્શન કરવાનો માર્ગ મોકળો થયો છે.