ભારતમાં ચીનના રાજદૂત સન વિન્ડોગે શુક્રવારે ભારત-ચીનના વિવાદને લઇને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે બંને દેશો વચ્ચે કોઇ દુશ્મનાવટ નહીં પરંતુ મિત્રતા હોવાની વાત કરી છે. ગલવાનમાં 15 જૂને થયેલી હિંસક અથડામણ મુદ્દે તેમનુ કહેવુ છે કે બંને દેશમાંથી કોઇપણ દેશ ન હતો ઇચ્છતો કે આવુ બને.
પોતાના વીડિયો સંદેશમાં ચીની રાજદૂત કહી રહ્યા છે કે પાંચ જૂલાઇએ આ મુદ્દે ચીની વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ અને બંને નેતાઓએ સરહદ પરના તણાવને ઓછો કરવા સહમતિ દર્શાવી હતી. વર્તમાનમાં અમારી સેના સરહદ પર તણાવને ઓછો કરવાના પ્રયત્ન કરી રહી છે. ગલવાનમાં જે થયુ એને લઇને કેટલાક ભારતીય નેતાઓના નિવેદનો બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધો ખરાબ કરી શકે છે. આથી, આ મુદ્દે કેટલાક ફન્ડામેન્ટલ પોઇન્ટ રજૂ કરવા માંગે છે. ચીન ભારતનુ ભાગીદાર છે, દુશ્મન નથી. બે હજારથી પણ વધુ વર્ષોથી બંને દેશોના મૈત્રી સંબંધોમાં લેવડ-દેવડ ચાલતી આવી છે.
ભારતમાં ચીની રાજદૂતનું કહેવુ છે કે બંને દેશોએ સાથે મળીને કોરોના સંકટ સામે લડવુ જોઇએ. આ સંકટના સમયે બંને દેશોએ એકબીજાને મદદ કરવી જોઇએ.
ભારતમાં ચીનના રાજદૂત સન વિન્ડોગે શુક્રવારે ભારત-ચીનના વિવાદને લઇને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે બંને દેશો વચ્ચે કોઇ દુશ્મનાવટ નહીં પરંતુ મિત્રતા હોવાની વાત કરી છે. ગલવાનમાં 15 જૂને થયેલી હિંસક અથડામણ મુદ્દે તેમનુ કહેવુ છે કે બંને દેશમાંથી કોઇપણ દેશ ન હતો ઇચ્છતો કે આવુ બને.
પોતાના વીડિયો સંદેશમાં ચીની રાજદૂત કહી રહ્યા છે કે પાંચ જૂલાઇએ આ મુદ્દે ચીની વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ અને બંને નેતાઓએ સરહદ પરના તણાવને ઓછો કરવા સહમતિ દર્શાવી હતી. વર્તમાનમાં અમારી સેના સરહદ પર તણાવને ઓછો કરવાના પ્રયત્ન કરી રહી છે. ગલવાનમાં જે થયુ એને લઇને કેટલાક ભારતીય નેતાઓના નિવેદનો બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધો ખરાબ કરી શકે છે. આથી, આ મુદ્દે કેટલાક ફન્ડામેન્ટલ પોઇન્ટ રજૂ કરવા માંગે છે. ચીન ભારતનુ ભાગીદાર છે, દુશ્મન નથી. બે હજારથી પણ વધુ વર્ષોથી બંને દેશોના મૈત્રી સંબંધોમાં લેવડ-દેવડ ચાલતી આવી છે.
ભારતમાં ચીની રાજદૂતનું કહેવુ છે કે બંને દેશોએ સાથે મળીને કોરોના સંકટ સામે લડવુ જોઇએ. આ સંકટના સમયે બંને દેશોએ એકબીજાને મદદ કરવી જોઇએ.