ફૂટબોલનું વિશ્વવિખ્યાત માન્ચેસ્ટર હવે ક્રિકેટના યુદ્ધનું મેદાન બનવા જઇ રહ્યું છે અને તેમાં બે યોદ્ધા છે ભારત અને પાકિસ્તાન. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આ મુકાબલો હાઇવોલ્ટેજ તથા બહુપ્રતિષ્ઠિત છે, કરોડો ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશવાસીઓની અપેક્ષા તથા ઝનૂન વચ્ચે વાદળોની લુકા-છિપીમાં બંને ટીમોએ શનિવારે આકરી પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસને તેઓ રવિવારે હકીકતમાં બદલવાનો પ્રયાસ કરશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મુકાબલો હોય કે પછી કોઇ પણ રમતનો. પ્રશંસકોનો રોમાંચ ચરમ સીમાએ હોય છે. મેચના પરિણામ ઉપરથી નાયક તથા ખલનાયક નક્કી કરવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે તમામ છ મેચમાં વિજય હાંસલ કર્યો હોવાના કારણે વિરાટ કોહલી ઉપર આ પરંપરા જારી રાખવાનું દબાણ રહેશે.
ફૂટબોલનું વિશ્વવિખ્યાત માન્ચેસ્ટર હવે ક્રિકેટના યુદ્ધનું મેદાન બનવા જઇ રહ્યું છે અને તેમાં બે યોદ્ધા છે ભારત અને પાકિસ્તાન. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આ મુકાબલો હાઇવોલ્ટેજ તથા બહુપ્રતિષ્ઠિત છે, કરોડો ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશવાસીઓની અપેક્ષા તથા ઝનૂન વચ્ચે વાદળોની લુકા-છિપીમાં બંને ટીમોએ શનિવારે આકરી પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસને તેઓ રવિવારે હકીકતમાં બદલવાનો પ્રયાસ કરશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મુકાબલો હોય કે પછી કોઇ પણ રમતનો. પ્રશંસકોનો રોમાંચ ચરમ સીમાએ હોય છે. મેચના પરિણામ ઉપરથી નાયક તથા ખલનાયક નક્કી કરવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે તમામ છ મેચમાં વિજય હાંસલ કર્યો હોવાના કારણે વિરાટ કોહલી ઉપર આ પરંપરા જારી રાખવાનું દબાણ રહેશે.