માલદીવએ ભારતને પોતાની જમીન પરથી લશ્કરી હેલીકોપ્ટરો અને તેમની જમીન પર જમાવેલા સૈનિકો પરત બોલાવી લેવા કહ્યું છે. માલદીવના રાજદૂતે જણાવ્યું હતું કે બે દેશો વચ્ચેનો કરાર જૂનમાં સમાપ્ત થયો છે. જ્યારથી માલદિવમાં ચીનની દખલગીરી વધી છે ત્યારથી ભારતને મિત્રદેશ માનનાર માલદિવે પોતાનું વલણ બદલ્યું છે. ચીન માલદિવમાં રસ્તાઓ, પુલ અને હવાઇમથકો બાંધવા પર ઝડપથી કામ કરી રહ્યું છે.