બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચૌક બજારમાં આવેલી એક ઈમારતમાં બુધવારે મોડી રાતે આગ લાગતા 59 લોકોના મોત થયા છે. આગની જ્વાળાઓ ટૂંક સમયમાં જ નજીકની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે, જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કેમિકલ રાખવાનું ગોડાઉન હોવાથી આગને કાબૂમાં લેવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. મોડી સાંજથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. આ દુર્ઘટનામાં ઘાયલ થનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. જેમને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચૌક બજારમાં આવેલી એક ઈમારતમાં બુધવારે મોડી રાતે આગ લાગતા 59 લોકોના મોત થયા છે. આગની જ્વાળાઓ ટૂંક સમયમાં જ નજીકની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે, જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કેમિકલ રાખવાનું ગોડાઉન હોવાથી આગને કાબૂમાં લેવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. મોડી સાંજથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. આ દુર્ઘટનામાં ઘાયલ થનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. જેમને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.