જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે લશ્કર અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં લશ્કરના બે જવાન પણ ઘાયલ થયા હતાં.
સુરક્ષા દળોને મળેલી બાતમીને આધારે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં અર્રાહ વિસ્તારમાં શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું હતું. લશ્કરે પણ વળતું ફાયરિંગ કર્યું હતું જેમાં બે આતંકવાદીને ઠાર કરી દેવાયા હતા. સામ-સામે ગોળીબારમાં લશ્કરના બે જવાનને ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે લશ્કર અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં લશ્કરના બે જવાન પણ ઘાયલ થયા હતાં.
સુરક્ષા દળોને મળેલી બાતમીને આધારે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં અર્રાહ વિસ્તારમાં શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કર્યું હતું. લશ્કરે પણ વળતું ફાયરિંગ કર્યું હતું જેમાં બે આતંકવાદીને ઠાર કરી દેવાયા હતા. સામ-સામે ગોળીબારમાં લશ્કરના બે જવાનને ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.