-
ભાજપમાં લો પ્રોફાઇલ ગણાતા નેતા અને કેન્દ્રના માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 3 રાજ્યોમાં ભાજપના પરાજય બાદ પક્ષમાં છવાયેલી શાંતિ અને પરાજય માટે વરિષ્ઠ નેતાગીરીના અકળ મૌનનથી અકળાઇને હમણાં હમણાં જે ઉપરાઉપરી નિવેદનો આપ્યા છે તેને લઇને પક્ષમાં કેટલાકને એમ થઇ રહ્યું છે કે નેતાગીરીને પડકારનાર તોપચી ગડકરીના તોપના નિશાને આખરે કોણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પક્ષના અધ્યક્ષ અમિત શાહ..? એટલુ જ પક્ષમાં કેટલાકને એ પણ નવાઇ લાગી રહી છે કે વડાપ્રધાન મોદીને જેમના નામથી ચીડ છે અને જેમને જાહેરમાં કોસવામાં મોદી કોઇ તક જતી કરતાં નથી તે પ્રથમ વડાપ્રધાન નેહરૂની ગડકરીએ જાહેરમાં પ્રશંસા કરી છે. ગડકરીએ નેહરૂની વાતોને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. તે તમામને લઇને પક્ષમાં એક એવો ગણગણાટ પણ થઇ રહ્યો છે કે ગડકરીના નેતાગીરી સામેના આવા સીધા પ્રહારો પાછળ કોનું પીઠબળ છે-આરએસએસ કે કોઇ અન્યનું..? ગડકરીએ એવી લાગણી દર્શાવી છે કે પક્ષની નેતાગીરીએ પરાજયની જવાબદારી પોતાના માથે લેવી જોઇએ. કેમ કે જ્યારે વિજય મળે છે ત્યારે તેના અનેક દાવેદારો હોય છે પરંતુ હાર થાય ત્યારે કોઇ તેની જવાબદારી લેતા નથી અને પક્ષમાં આ બાબત યોગ્ય નથી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે ગડકરીએ, સારા ભાષણોથી ચૂંટણી જીતાતી નથી અને હું જ સર્વગુણ સંપન્ન એમ માનવું પણ ખોટુ છે એવું જે નિવેદન આપ્યું છે તે સીધેસીધો મોદી પર પ્રહાર છે. ગડકરીએ ભાજપમાં આંતરિક રીતે બધુ ઠીક નથી એવો પણ ઇશારો કર્યો છે. ભાજપની વર્તમાન નેતાગીરી ગડકરીના શબ્દરૂપી તોપગોળાઓના પ્રહારોને કઇ રીતે લે છે તેના પર પણ પક્ષમાં સૌની નજર છે. કેટલાક ગડકરીના આ નિવેદનોને બગાવતી તેવર તરીકે પણ જોઇ રહ્યાં છે. કેમ કે 3 રાજ્યોમાં ભાજપની હાર પછી હાઇ અને કમાન્ડમાંથી કોઇએ કોઇ પ્રતિક્રિયા ન આપતા અને ખેલદિલી નહીં દર્શાવતા તેનાથી અકળાઇને ગડકરીને આવું આકરૂ વલણ લેવાની ફરજ પડી હોય એમ પણ પક્ષમાં કેટલાક માની રહ્યાં છે. ધૂમાડો દેખાઇ રહ્યો છે તો તેનો મતલબ કે ક્યાંક ચિનગારી સળગી છે કે સળગવાની શરૂઆત છે. ગડકરીએ નેતાગીરી સામે આવા નિવેદનો કરીને વિવાદનો પટારો ખોલી નાંખ્યો છે ત્યારે તેના પર ચિંતન થશે કે કેમ..? એમ કહીને સૂત્રો કહે છે કે તેના પર ચિંતન થવું જોઇએ અને આમ પણ પક્ષમાં કેટલાક નેતાને સનદી અધિકારીઓ સાથે બેસીને ચિંતવ શિબિર યોજવાનો વર્ષોનો અનુભવ છે તો ગડકરીની વાતને લઇને વધુ એક ચિંતન શિબિર સરદાર પટેલની પ્રતિમા નજીકના તંબુ નગરીમાં યોજાવવી જોઇએ..! (GNS)
-
ભાજપમાં લો પ્રોફાઇલ ગણાતા નેતા અને કેન્દ્રના માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 3 રાજ્યોમાં ભાજપના પરાજય બાદ પક્ષમાં છવાયેલી શાંતિ અને પરાજય માટે વરિષ્ઠ નેતાગીરીના અકળ મૌનનથી અકળાઇને હમણાં હમણાં જે ઉપરાઉપરી નિવેદનો આપ્યા છે તેને લઇને પક્ષમાં કેટલાકને એમ થઇ રહ્યું છે કે નેતાગીરીને પડકારનાર તોપચી ગડકરીના તોપના નિશાને આખરે કોણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પક્ષના અધ્યક્ષ અમિત શાહ..? એટલુ જ પક્ષમાં કેટલાકને એ પણ નવાઇ લાગી રહી છે કે વડાપ્રધાન મોદીને જેમના નામથી ચીડ છે અને જેમને જાહેરમાં કોસવામાં મોદી કોઇ તક જતી કરતાં નથી તે પ્રથમ વડાપ્રધાન નેહરૂની ગડકરીએ જાહેરમાં પ્રશંસા કરી છે. ગડકરીએ નેહરૂની વાતોને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. તે તમામને લઇને પક્ષમાં એક એવો ગણગણાટ પણ થઇ રહ્યો છે કે ગડકરીના નેતાગીરી સામેના આવા સીધા પ્રહારો પાછળ કોનું પીઠબળ છે-આરએસએસ કે કોઇ અન્યનું..? ગડકરીએ એવી લાગણી દર્શાવી છે કે પક્ષની નેતાગીરીએ પરાજયની જવાબદારી પોતાના માથે લેવી જોઇએ. કેમ કે જ્યારે વિજય મળે છે ત્યારે તેના અનેક દાવેદારો હોય છે પરંતુ હાર થાય ત્યારે કોઇ તેની જવાબદારી લેતા નથી અને પક્ષમાં આ બાબત યોગ્ય નથી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે ગડકરીએ, સારા ભાષણોથી ચૂંટણી જીતાતી નથી અને હું જ સર્વગુણ સંપન્ન એમ માનવું પણ ખોટુ છે એવું જે નિવેદન આપ્યું છે તે સીધેસીધો મોદી પર પ્રહાર છે. ગડકરીએ ભાજપમાં આંતરિક રીતે બધુ ઠીક નથી એવો પણ ઇશારો કર્યો છે. ભાજપની વર્તમાન નેતાગીરી ગડકરીના શબ્દરૂપી તોપગોળાઓના પ્રહારોને કઇ રીતે લે છે તેના પર પણ પક્ષમાં સૌની નજર છે. કેટલાક ગડકરીના આ નિવેદનોને બગાવતી તેવર તરીકે પણ જોઇ રહ્યાં છે. કેમ કે 3 રાજ્યોમાં ભાજપની હાર પછી હાઇ અને કમાન્ડમાંથી કોઇએ કોઇ પ્રતિક્રિયા ન આપતા અને ખેલદિલી નહીં દર્શાવતા તેનાથી અકળાઇને ગડકરીને આવું આકરૂ વલણ લેવાની ફરજ પડી હોય એમ પણ પક્ષમાં કેટલાક માની રહ્યાં છે. ધૂમાડો દેખાઇ રહ્યો છે તો તેનો મતલબ કે ક્યાંક ચિનગારી સળગી છે કે સળગવાની શરૂઆત છે. ગડકરીએ નેતાગીરી સામે આવા નિવેદનો કરીને વિવાદનો પટારો ખોલી નાંખ્યો છે ત્યારે તેના પર ચિંતન થશે કે કેમ..? એમ કહીને સૂત્રો કહે છે કે તેના પર ચિંતન થવું જોઇએ અને આમ પણ પક્ષમાં કેટલાક નેતાને સનદી અધિકારીઓ સાથે બેસીને ચિંતવ શિબિર યોજવાનો વર્ષોનો અનુભવ છે તો ગડકરીની વાતને લઇને વધુ એક ચિંતન શિબિર સરદાર પટેલની પ્રતિમા નજીકના તંબુ નગરીમાં યોજાવવી જોઇએ..! (GNS)