નાગરિકતા સંશોધન કાયદા ને લઈ દાખલ 140થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ માં બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન વકીલોએ એક પછી એક પોતાની રજૂઆત કરી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ તમામ અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 4 સપ્તાહનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેન્દ્રના જવાબ બાદ પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે કે તેની પર સ્ટે લગાવવો કે નહીં. હવે આ મુદ્દા પર ચાર સપ્તાહ બાદ સુનાવણી થશે. તે દિવસે બંધારણીય બેન્ચ બનાવવા અંગે નિર્ણય લેવાશે.
નાગરિકતા સંશોધન કાયદા ને લઈ દાખલ 140થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ માં બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન વકીલોએ એક પછી એક પોતાની રજૂઆત કરી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ તમામ અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 4 સપ્તાહનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેન્દ્રના જવાબ બાદ પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે કે તેની પર સ્ટે લગાવવો કે નહીં. હવે આ મુદ્દા પર ચાર સપ્તાહ બાદ સુનાવણી થશે. તે દિવસે બંધારણીય બેન્ચ બનાવવા અંગે નિર્ણય લેવાશે.