વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસની સંધ્યાએ રામમંદિરથી શરૂ કરીને રાફેલ સોદા સુધી દેશમાં સર્જાયેલા વિવાદો અંગે વિપક્ષોને આકરા જવાબ આપ્યા હતા. એક ખાનગી ન્યૂઝ એજેંસી સાથે ચર્ચા દરમિયાન તેમણે વિગતવાર જવાબ આપીને વિપક્ષો પર પસ્તાળ પાડી હતી. ૯૫ મિનિટના ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને જણાવ્યું કે, રામમંદિર દેશની લાગણીઓ સાથે સંકળાયેલો મુદ્દો છે. આ મુદ્દે લાગણીઓથી નિર્ણય લઈ શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે ત્યાર બાદ વટહુકમ લાવવો કે નહીં તે અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. આ મુદ્દે ઉતાવળે નિર્ણય લઈ શકાય તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ રાજ્યમાં ભાજપનો પરાજય થયો છે. બાકીના બે રાજ્યોમાં હંગહાઉસ છે. આવા એકાદ પરાજયથી જનતાનો મૂડ બદલાઈ જાય તેમ નથી. આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જનતા વિરૂદ્ધ મહાગઠબંધનની રહેશે. ચૂંટણી ટાણે તકસાધુ બનીને ફરતા મહાગઠબંધનોને આ વખતે જનતાની સામે લડવાનું આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસની સંધ્યાએ રામમંદિરથી શરૂ કરીને રાફેલ સોદા સુધી દેશમાં સર્જાયેલા વિવાદો અંગે વિપક્ષોને આકરા જવાબ આપ્યા હતા. એક ખાનગી ન્યૂઝ એજેંસી સાથે ચર્ચા દરમિયાન તેમણે વિગતવાર જવાબ આપીને વિપક્ષો પર પસ્તાળ પાડી હતી. ૯૫ મિનિટના ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને જણાવ્યું કે, રામમંદિર દેશની લાગણીઓ સાથે સંકળાયેલો મુદ્દો છે. આ મુદ્દે લાગણીઓથી નિર્ણય લઈ શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે ત્યાર બાદ વટહુકમ લાવવો કે નહીં તે અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. આ મુદ્દે ઉતાવળે નિર્ણય લઈ શકાય તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ રાજ્યમાં ભાજપનો પરાજય થયો છે. બાકીના બે રાજ્યોમાં હંગહાઉસ છે. આવા એકાદ પરાજયથી જનતાનો મૂડ બદલાઈ જાય તેમ નથી. આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જનતા વિરૂદ્ધ મહાગઠબંધનની રહેશે. ચૂંટણી ટાણે તકસાધુ બનીને ફરતા મહાગઠબંધનોને આ વખતે જનતાની સામે લડવાનું આવશે.