કેન્દ્રીય નાણામંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય અને વિભાગોને ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં કોઇ નવી યોજના શરૂ નહીં કરવા આદેશ આપ્યો છે. કેન્દ્રીય નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ મંત્રાલય અને વિભાગો તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતનો કોવિડ-૧૯ મહામારીના સંદર્ભમાં પરિણામલક્ષી ઉપયોગ કરે. જોકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ અંતર્ગત આવતી યોજનાઓ અને અન્ય કોઇપણ સ્પેશિયલ પેકેજ અથવા જાહેરાત માટે ભંડોળની ફાળવણી કરાશે.
કેન્દ્રીય નાણામંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય અને વિભાગોને ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં કોઇ નવી યોજના શરૂ નહીં કરવા આદેશ આપ્યો છે. કેન્દ્રીય નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ મંત્રાલય અને વિભાગો તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતનો કોવિડ-૧૯ મહામારીના સંદર્ભમાં પરિણામલક્ષી ઉપયોગ કરે. જોકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ અંતર્ગત આવતી યોજનાઓ અને અન્ય કોઇપણ સ્પેશિયલ પેકેજ અથવા જાહેરાત માટે ભંડોળની ફાળવણી કરાશે.