પાકિસ્તાને પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં રોલને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક વિદેશી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવી રહી છે તેમાં કન્ફ્યુઝન છે. કારણ કે તેમણે આ હુમલાની જવાબદારી લીધી જ નથી.
વિદેશી મીડિયા સાથેના આ ઈન્ટરવ્યુમાં તેમણે સંપૂર્ણપણે જૈશને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે, પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાના તુરંત પછી જૈશે જ એક વીડિયો જાહેર કરીને હુમલાની જવાબદારી લીધી હતી.
પાકિસ્તાને પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં રોલને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક વિદેશી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું હતું કે, જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવી રહી છે તેમાં કન્ફ્યુઝન છે. કારણ કે તેમણે આ હુમલાની જવાબદારી લીધી જ નથી.
વિદેશી મીડિયા સાથેના આ ઈન્ટરવ્યુમાં તેમણે સંપૂર્ણપણે જૈશને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે, પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાના તુરંત પછી જૈશે જ એક વીડિયો જાહેર કરીને હુમલાની જવાબદારી લીધી હતી.