પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગવાની જાણકારી મળી છે. આ આગમાં સપડાઈને 16 લોકોનાં મોત થયા છે જ્યારે 13 પ્રવાસી ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે ટ્રેનમાં આગ કેવી રીતે લાગી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને અધિકારીઓને ઘાયલોને સારી સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા.
પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં ગુરુવાર સવારે આગ લાગવાની જાણકારી મળી છે. આ આગમાં સપડાઈને 16 લોકોનાં મોત થયા છે જ્યારે 13 પ્રવાસી ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે ટ્રેનમાં આગ કેવી રીતે લાગી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને અધિકારીઓને ઘાયલોને સારી સારવાર પૂરી પાડવાના નિર્દેશ આપ્યા.